તમિલનાડુ : તિરુપુરના અવિનાશીમાં બસ-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 19 લોકોના મોત અને 20થી વધુ ગંભીર

Update: 2020-02-20 04:07 GMT

તમિલનાડુના તિરુપુર જિલ્લાના અવિનાશી શહેરમાં એક

ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં કેરળ રાજ્યની પરિવહન બસ અને ટ્રક વચ્ચેની

અથડામણમાં 19 લોકોનાં મોત થયાં છે. 20 થી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળેલ છે.

મૃત્યુ પામનારા લોકોમાં 14 પુરુષો અને 5 મહિલાઓ હતી.

બસ કર્ણાટકના બેંગાલુરુથી કેરળના એર્નાકુલમ તરફ

જઈ રહી હતી. ટ્રક કોઈમ્બતુર-સાલેમ હાઈવે પર  વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી. આ અકસ્માત સવારે

4: 30 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. બસમાં 48 જેટલા લોકો સવાર હતા. અવિનાશી ટાઉનના

નાયબ તહેસીલદારે જણાવ્યું હતું કે અવિનાશી શહેર  નજીક બસ અને ટ્રકની ટક્કરમાં 14 પુરુષો અને 5

મહિલા સહિત 19 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતદેહોને તિરૂપુરની સરકારી હોસ્પિટલમાં

ખસેડવામાં આવ્યા છે. બચાવકર્તા અકસ્માત સ્થળે પહોંચી ગયા છે અને તે રાહત અને બચાવ

કામગીરીમાં જોડાયા છે.

તામિલનાડુના મુખ્યમંત્રીએ કહ્યું કે સીએમ પિનરાય

વિજયન પલક્કડના જિલ્લા કલેક્ટરને નિર્દેશ આપ્યો છે કે તેઓ અકસ્માતનો ભોગ બનેલા

લોકોને તબીબી સુવિધા વહેલી તકે પૂરી પાડે. મૃતકોને ઓળખવાની કાર્યવાહી ચાલુ છે તમિલનાડુ

સરકાર અને તિરૂપુરના જિલ્લા કલેકટરના સહયોગથી તમામ શક્ય રાહત પગલાં લેવામાં આવશે.

Tags:    

Similar News