ભારત સરકારે જાહેર કરેલા ખાલિસ્તાની આતંકવાદી KTF ચીફ હરદીપ નિજ્જરની કેનેડામાં હત્યા

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. નિજ્જર આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)નો ચીફ હતો.

Update: 2023-06-19 06:49 GMT

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. નિજ્જર આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)નો ચીફ હતો. કેનેડામાં રહીને તે લાંબા સમયથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને વેગ આપી રહ્યો હતોપ્રારંભિક માહિતી અનુસાર, કેનેડામાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે નિજ્જરને બે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી દીધી હતી. નિજ્જર આ ગુરુદ્વારાના વડા પણ હતા. તે આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુની પણ નજીક હતો. ખાલિસ્તાન ટાઈગર ફોર્સ ચીફ હરદીપ સિંહ નિજ્જર કેનેડામાં બેસીને સંગઠન ચલાવતો હતો. સપ્ટેમ્બર 2020માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હરદીપ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. આ પછી જલંધરના ભર સિંહ પુરા ગામમાં નિજ્જરની મિલકતો પણ અટેચ કરવામાં આવી હતી. નિજ્જરે આ ગામના પૂજારીની હત્યા કરી હતી. તેના દ્વારા તે પંજાબમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.NIAએ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 4 મહિના પહેલા નિજ્જરના સંગઠન KTFને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. ગૃહ મંત્રાલયે કહ્યું- “ખાલિસ્તાન ટાઈગર ફોર્સ એક કટ્ટરવાદી સંગઠન છે. જેનો ઉદ્દેશ્ય પંજાબમાં ફરી આતંકવાદ ફેલાવવાનો છે. પંજાબમાં ટાર્ગેટ કિલિંગ પાછળ પણ આ સંગઠનનો હાથ છે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે આ સંગઠન ભારતની પ્રાદેશિક અખંડિતતા, એકતા, રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને પડકારે છે.

Tags:    

Similar News