અંકલેશ્વર જીઆઇડીસીનાં AIA સેમિનાર હોલ ખાતે 68માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકા કક્ષાનો 68મો વન મહોત્સવ જીઆઇડીસીનાં AIA સેમિનાર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ, ઉપ પ્રમુખ જશુ ચૌધરી, ઇકબાલ નાથાણી, સેક્રેટરી જયેશ પટેલ, તેમજ નાયબ વન સંરક્ષક એમ.આર.સોલંકી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.પી.ગાંધી, નોટીફાઈડ એરિયા બોર્ડનાં ચેરમેન હિંમત સેલડિયા, નોટીફાઈડના ચીફ ઓફિસર સંજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. અને વૃક્ષા રોપણ પણ કર્યુ હતુ.
આ પ્રસંગે વન અધિકારી દ્વારા નગરને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટેનું આહવાન કર્યુ હતુ, અને વૃક્ષને માત્ર રોપીને નહિ પરંતુ તેની યોગ્ય માવજત કરીને તેનો ઉછેર કરવા માટેનું સૂચન પણ કરવામાં આવ્યુ હતુ.