અંકલેશ્વરમાં ચામુંડા માતાજી મંદિરના પાટોત્સવ પ્રસંગે લોકડાયરો યોજાયો

Update: 2017-04-04 08:26 GMT

અંકલેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલ હરિમંગલ સોસાયટી ખાતે તારીખ 3જી એપ્રિલ સોમવારની રાત્રીએ ચામુંડા માતાજીના મંદિરના પાટોત્સવ પ્રસંગે ભંડારો તેમજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે સુપ્રસિદ્ધ લોક ગાયિકા ઉર્વશી રાદડિયા ,ઘનશ્યામ પરમાર સહિતના સાથી કલાકારોએ ભજન અને લોકગીતની રમઝટ બોલાવી હતી.

અંકલેશ્વર રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

 

Tags:    

Similar News