રાપર તાલુકાના ચિત્રોડ નજીક ગામના માલધારી રબારી વજુ વીરાના 25 ઘેટા બકરાના સાગમટે મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો.
આ બનાવથી પોતાના ઘેટા બકરા થકી રોજીરોટી ચલાવતા
ગરીબ માલધારી ઉપર જાણે આભ તૂટી પડયું હતું. અવારનવાર આવી ઘટના બનતી રહે છે ત્યારે
પોલીસ તંત્ર બેફામ વાહનો ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.માલધારી
પરિવારને સહાય ચૂકવવા પણ માંગ કરાઈ છે.