કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન

Update: 2020-10-08 15:52 GMT

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન થયું છે. રામવિલાસ પાસવાન છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. તેઓએ દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં છે. રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. રામવિલાસ પાસવાનનું હાલમાં જ એક ઓપરેશન થયું હતું..

ચિરાગ પાસવાને ટ્વીટ કરીને લખ્યું કે, પાપા.... હવે તમે આ દુનિયામાં નથી પરતું મને ખબર છે આપ જ્યાં પણ હશો ત્યાં હંમેશા મારી સાથે છો.

રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા. શરૂઆતમાં તેઓ રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબીયત વધારે બગડતા આઈસીયૂમાં દાખલ કરાયા હતા. રામવિલાસ પાસવાને વર્ષ 2000માં લોક જનશક્તિ પાર્ટીની સ્થાપના કરી હતી. પાસવાસ પાસે 6 વડાપ્રધાન સાથે કામ કરવાનો અનોખો રેકોર્ડ છે.

Tags:    

Similar News