ગુજરાતી કહેવત પ્રમાણે દિવાતળે અંધારૂ આ કહેવત ભરૂચમાં સાર્થક થઈ હોય તેમ લાગી રહયું છે.
ભરૂચનાં 60 વર્ષો થી પણ જુના કારીગર રતિલાલ પ્રજાપતિ વર્ષોથી દિવા બનાવતા હતા પણ આ વર્ષે ચાઈનીસ દિવાની માંગ વધતા વર્ષો જુના દિવા બનાવવાની કલા ચાઈનીસ દિવા સામે હારી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે.
વર્ષોથી દિવા બનાવવા થી ટેવાયેલા રતિલાલભાઈ પોતાના હાથે બનાવેલ દિવાના કોડીયાને હાથમાં લઈ આ દિવા તેમની જિંદગીમાં ઉજાશ ક્યારે લાવશે તેની રાહ જોઈ રહ્યા છે.