જાણો મહાત્મા ગાંધીની જન્મભૂમિ માં કેવી રીતે ઉજવાશે જન્મજયંતિ

Update: 2017-10-01 14:31 GMT

બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે માટે પ્રાર્થના સભામાં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવી રહ્યા છે જેની પોરબંદરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

મહાત્મા ગાંધીજીની આ 148મી જન્મ જયંતી છે પરંપરા મુજબ સવારે 7.30 કલાકે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવતું હોય છે. જ્યારે આ વખતે પ્રાર્થના સભા 8.30 કલાકે થવાની છે તેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

Tags:    

Similar News