ડભોઇ ભાજપ માં ભૂકંપ,પ્રભારીએ આપ્યું હોદ્દા પરથી રાજીનામુ

Update: 2016-07-15 05:37 GMT

ડભોઇ માં ભારતીય જનતા પાર્ટી નો જૂથવાલ બહાર આવી રહ્યો છે અને પક્ષ ના કદાવર નેતા એ પોતાના પ્રભારી પદ પરથી રાજીનામુ ધરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.

ડભોઇ ની કૌમુદી સોસાયટી માં રહેતા ભાજપ ના ડભોઇ તાલુકા,વાઘોડિયા તાલુકા અને શહેર ભાજપ ના પ્રભારી શશીકાંત હરિલાલ પટેલ સાથે ભાજપ માં આંતરિક ખેંચતાણ ચાલતી હતી,જેના કારણે ત્રસ્ત થઈ ને તેઓએ પોતાના તમામ પદ અને ભાજપ ના સભ્ય પદે થી રાજીનામુ આપી દેતા રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા નો માહોલ સર્જાયો છે.

શશીકાંત પટેલે કનેક્ટ ગુજરાત ના પ્રતિનિધિ સાથે ની એક વાતચીત માં જણાવ્યું હતું કે તેઓ ડભોઇ ની શૈક્ષણિક સંસ્થાઓ માં પ્રમુખ છે પરંતુ ભાજપ ના કાર્યકર્તા ઓ ની તેમાં દખલગીરીના કારણે રાજકારણ પ્રવેશતા તેઓએ પોતાની મરજી થી રાજીનામુ આપી ને ભાજપ ને રામરામ કહી દીધા છે.અને આવનાર સમય માં ડભોઇ માં ભાજપ માટે કપરા ચઢાણ રહેશે તેમ તેઓ જણાવી રહ્યા છે.

Similar News