નેત્રંગ ખાતે આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું કરાયુ સ્વાગત 

Update: 2017-02-10 14:18 GMT

 

ભરૂચ જિલ્લા ના નેત્રંગ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

ભાજપ દ્વારા આદિવાસીઓને તેઓના અધિકાર અને ગૌરવ અપાવતા પેસાના અમલીકરણ સંદર્ભે સૌને માહિતગાર કરવા માટે આદિવાસી વિકાસ યાત્રા યોજવામાં આવી છે.ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ યાત્રાનો પ્રારંભ તારીખ 7મી ફેબ્રુઆરીના રોજ દક્ષિણ ગુજરાતના ઉનાઈ ખાતેથી થયો હતો.જે આદિવાસી ગૌરવ યાત્રા નેત્રંગ ખાતે આવી પહોંચી હતી.

યાત્રામાં ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર,રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા,સાંસદ મનસુખ વસાવા,મંત્રી આત્મારામ પરમાર,રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ,મંત્રી શબ્દશરણ તડવી ,વિધાનસભાના દંડક અજય ચોક્સી,દેડિયાપાડાના ધારાસભ્ય મોતીસિંહ વસાવા,દુષ્યંત પટેલ,અરૂણસિંહ રણા,છત્રસિંહ મોરી સહિતના આગેવાનો,હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

Tags:    

Similar News