પશ્ચિમ રેલવે દ્વારા રક્ષાબંધન નિમિત્તે દોડાવાશે અમદાવાદ-મુંબઇ વચ્ચે ખાસ ટ્રેન !!!
રક્ષાબંધન નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પ.રેલવે દ્વારા બાંદરા ર્ટિમનલથી અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પિૃમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર ૦૯૦૨૯ બાંદરા ર્ટિમનલ-અમદાવાદ સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન ૨૫ ઓગસ્ટે બાંદરાથી ૨૩-૫૫ કલાકે ઉપડશે. આ ટ્રેન બીજા દિવસે સવારે ૭-૫૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ પ્રકારે ટ્રેન નંબર ૦૯૦૩૦ અમદાવાદ-બાંદરા ર્ટિમનલ સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન રવિવારે ૨૬ ઓગસ્ટે અમદાવાદથી ૧૯-૫૫ કલાકે ઉપડશે.જે બીજા દિવસે સવારે ૫-૦૫ કલાકે બાંદરા પહોંચશે.
આ ટ્રેન બોરીવલ્લી, વાપી, વલસાડ,સુરત, ભરૃચ, વડોદરા, આણંદ અને નડિયાદ રેલવે સ્ટેશનો ખાતે ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપિંગ અને સેકન્ડ કલાસના કોચ રહેશે. ટ્રેનમાં બુકિંગ ૨૫ ઓગસ્ટથી બુકિંગ સેન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી થઇ શકશે.