દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો તારીખ 16મી ના રોજ થી રોજેરોજ બદલાશે, જેના કારણે ઇંધણના ભાવો જે એક સાથે વધતા કે ઘટતા હતા તેના બદલે ડેઇલી ચેન્જ થશે. જેનો લાભ વાહન ધારકો ને મળશે તેમ કહેવાય રહ્યું છે.
તારીખ 16મી જુનથી રોજેરોજ પેટ્રોલ ડીઝલના ભાવોમાં ફેરફારનો અમલ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પેટ્રોલના ભાવોમાં ફેરફાર સવારના 6 વાગ્યા થી કરવામાં આવે તેવી સહમતી પણ પેટ્રોલ ડીલરોને મળી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે રોજબરોજ ઇંધણના ભાવોમાં ફેરફારથી વાહન ચાલકોને ભાવ વધારાનો એક સાથે ઝાટકો નહિં લાગે અને ભાવોમાં વધારે ફેરફાર પણ નહિં લાગશે તેમ જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.