ભરૂચ : ખેલ મહાકુંભના વિજેતાઓનું કરાયું સન્માન, રમતગમત મંત્રી રહયાં હાજર

Update: 2019-12-14 14:16 GMT

ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં

વિજેતા બનેલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.


રાજયમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખેલ

મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.  આ વર્ષે યોજાયેલા ખેલ મહાકુંભમાં વિજેતા બનેલા

ખેલાડીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાજયભરમાં યોજવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાનો

કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રાજયના

સહકાર અને રમત ગમત વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, કલેકટર ડૉ.એમ.ડી.મોડીયા, પાલિકા પ્રમુખ સુરભિ

તમાકુવાલા, પ્રાંત અધિકારી દેસાઇ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. મંત્રી ઇશ્વરસિંહ પટેલે

તેમના ઉદબોધનમાં રાજય સરકાર ખેલાડીઓને પ્રોત્સાહન માટે કટીબધ્ધ હોવાનું જણાવ્યું

હતું. 

Tags:    

Similar News