ભરૂચ જિલ્લાના વાંસી ગામે તા ૧૨/૫/૧૮ને શનિવારના રોજ આહિર સમાજના કુળદેવી ખોડીયારમાં તથા મેલડીમાં તેમજ સિકોતરમાંના મંદિરનો પાંચમો પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં નવચંડિ યજ્ઞ નિમિત્તે ડો. લોકેશ બાપુના હાથે નવચંડિ યજ્ઞના કાર્યક્રમનો વિધીવાર પ્રારંભ કરાયો હતો.
જેમા નવ કલાકે નવચંડિ તથા સાજે ચાર કલાકે શ્રીફળ,હવન તથા સાંજે છ કલાકે મહાપ્રસાદી અને રાત્રે માતાજીનું જગરણ (ભજન) યોજાયું હતું. આ અવસરે આહિર સમાજ તેમજ આસપાસના ગામ તેમજ જિલ્લાભરમાંથી માનવ મહેરામણ માતાજીના દર્શને ઉમટી પડ્યા હતા તથા મોટી સંખ્યામાં ગામના તથા જીલ્લાભર માંથી આવેલા લોકોએ માતાજીની મહા આરતીનો લાભ લીધો હતો.