ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના શૈક્ષણીક,સામાજિક,રાજકીય અને આર્થિક જાગૃતિ ના સંચાર માટે દેરોલ ગામે ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિર માં ટ્રસ્ટ નાં પ્રમુખ ઇકબાલ પાદરવાલા,યુનુસ અમદાવાદી,રીટાયર્ડ આસી.કમિશનર મુસ્તાક ઘોડીવાલા સહીત નાં આગેવાનો એ શિબિર માં ઉપસ્થિત રહીને માર્ગ દર્શન આપ્યું હતું.તેમજ વ્હોરા પટેલ સમાજ નાં શાળા માં ભણતા વિદ્યાર્થીઓ નાં શિક્ષણ ની ગુણવત્તા માં વધારો કરવા માટે ગામે ગામ કોચિંગ ક્લાસ નું આયોજન કરવાનું પણ સુચન કર્યું હતું.