ભરૂચના પરીએજ ગામના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા સાજીદ ડાય એ શિક્ષણ ક્ષેત્રે સતત સીધીઓના શિખર સર કરી રહ્યા છે.જેમના માતા પિતાએ પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કર્યું નથી.તેમ છતાં માતા પિતાની સતત મળતી હૂંફ અને પ્રેરણાને કારણે સાજીદે ભણવામાં ક્યાંય પાછું વળીને જોયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ મુસ્લિમ વોરા પટેલ સમાજમાં મનોવિજ્ઞાન વિષય ઉપર પી.એચ.ડી. કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હોવાનું જાણવા મળ્યુ છે.ડૉ. સાજીદ તેમના પાસે રહેલ જ્ઞાનનું ભાથું અનેક શેક્ષણિક ટ્રસ્ટમાં વિના મૂલ્યે આપી સેવા આપી રહ્યા છે.તેઓને પી.એચ.ડી ની ઉપાધિ મળતા તેમના ઉપર અભિનંદન ની વર્ષા થઈ રહી છે.