ભરૂચના નાંદ ગામે નર્મદા સ્નાન કરવા ગયેલા યુવાનને મગર ખેંચી જતા મોત

Update: 2017-06-12 14:17 GMT

ભરૂચના નાંદ ગામ કહતે રહેતા 35 વર્ષીય યુવાન નર્મદા સ્નાન અર્થે ગયો હતો, ત્યારે ખૂંખાર મગરે તેને પોતાનો શિકાર બનાવતા યુવકનું મોત નિપજ્યુ હતુ, બનાવને પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભરૂચના નાંદ ગામ ખાતે પત્ની કૈલાશબેન, બે દીકરીઓ સાથે રહેતા અને મજૂરી કરીને પરિવારજનોનું ગુજરાન ચલાવતા અરવિંદ ભગાભાઈ વસાવા ઉ.વ.35નાઓ તારીખ 12મી સોમવારના રોજ બપોરના સમયે નર્મદા સ્નાન અર્થે ગયા હતા, પરંતુ તેઓએ જાણતા નહતા કે આ સ્નાન તેમનું અંતિમ સ્નાન હશે.

અરવિંદ વસાવા નર્મદા નદીમાં સ્નાન અર્થે ગયા હતા અને ત્યારે તેઓ પર નરભક્ષી મગરે ઓચિંતોજ હુમલો કર્યો હતો, અને અચાનક પોતાની સાથે ઘટેલી ઘટનામાં તેઓ કંઈક સમયે તે અગાઉ મગર અરવિંદભાઈને ખેંચીને પાણીમાં લઇ ગયો હતો.

આ ગોઝારી ઘટના અંગેની જાણ સ્થાનિક યુવકોને તથા તેઓએ ગ્રામજનોને જાણ કરી હતી, અને મગરના ખોફ સાથે નર્મદા નદી માંથી અરવિંદ વસાવાનો મૃતદેહ બહાર કાઢયો હતો.બનાવને પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Tags:    

Similar News