વડોદરાઃ વડસર અને સમાના પરિવારને અકસ્માત નડતા ૪ના મોત

Update: 2019-11-26 11:27 GMT

મધ્યપ્રદેશના ધાર શહેર

પાસે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર સોમવારે વડોદરાના વડસર અને સમાના પરિવારને

અકસ્માત નડતા ત્રણ મહિલા અને એક પુરૂષ સહિત 4 લોકોના મોત થયા હતા. જેમના મૃતદેહોને

સોમવારે મોડી રાત્રે વડોદરા લવાયા હતા.

જ્યાં વર્ષાબેન ઠાકુરના

આજે સવારે અંતિમ સંસ્કાર કરાયા હતા. જોકે પ્રવિણભાઇ પટેલ અને તેમના ભાભી

સુમિત્રાબેન પટેલના પુત્રો કેનેડા અભ્યાસ કરતા હોવાથી તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે

સવાર કરવામાં આવશે. આ મૃતકોમાં પ્રવીણ પટેલ અને તેમના પત્ની અમિષા પટેલ, સુમિત્રા પટેલ, વર્ષા ઠાકુરનો સમાવેશ થાય છે. જ્યારે કાર

ચલાવી રહેલા દીપક ઠાકુર નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. ત્યારબાદ તમામ

મૃતદેહોનું ધારની જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

આ વડોદરાના વડસરમાં

રહેતો પરિવાર ઓમકારેશ્વરમાં સ્નાન અને દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે તેની કાર

ઉભેલા રેતીના ડમ્પરમાં ઘુસી જતા આ દુર્ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, આ કરૂણાંતિકામાં પતિ-પત્ની અને બે બહેનોના

મોત થયા હતા.

વડોદરાના બિલ્ડર પ્રવીણ

પટેલ અને તેમના પત્ની અમિષા પટેલ અને સુમિત્રા પટેલના મૃતદેહને ભાઇલાલ અમીન

હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યા છે. પ્રવિણભાઇનો પુત્ર ધ્રુવ અને

સુમિત્રાબેનનો પુત્ર કેનેડાથી બુધવારે સવારે 7 વાગ્યે વડોદરા આવશે. ત્યારબાદ

પ્રવિણભાઇ અને અમિષાબેનના મૃતદેહ વડસર સ્થિત આશ્રય સોસાયટીમાં લઇ જવાશે. અને

સુમિત્રાબેનના મૃતદેહને વડસર ગામના અંબિકા ચોકમાં લઇ જવાશે. ત્યારબાદ ત્રણેયની

અંતિમયાત્રા નિકળશે અને માંજલપુર સ્મશાનમાં એકસાથે ત્રણેયના અંતિમ સંસ્કાર કરવામાં

આવશે

Similar News