હાવડા-જગદલપુર સમલેશ્વરી એક્પ્રેસ પાટા પરથી ઉતરી પડતાં 3 રેલવે કર્મચારીઓના મોત

Update: 2019-06-26 05:22 GMT

ઓડિશાના રાયગઢમાં હાવડા-જગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસનું એન્જિન સહિત ઘણાં કોચ પાટા પરથી ઉતરી જતા 3 રેલવે કર્મચારીઓના મોત થયા છે. પેસેન્જર ટ્રેન ટાવર કાર સાથે અથડાતા આ અક્સ્માત સર્જાયો હતો. ઘટના બાદ હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે ઈસ્ટ કોસ્ટ રેલ્વે(ECOR)એ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

ટ્રેનમાં 148 યાત્રી હતા. તેમને ઓડિશાના રાયગઢ સ્ટેશન પહોંચાડવામાં આવી રહ્યા છે. રાયગઢા સુધી પહોંચાડવા માટે બે બસની સુવિધા કરવામાં આવી છે અને યાત્રીઓ માટે ભોજનનો પણ પ્રબંધ કરવામાં આવ્યો છે. આ ત્રણ વ્યક્તિઓમાં સુરેશ ટાવર કારમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. જયારે બાકીના બે વ્યક્તિઓમાં ગોર નાયડું અને સાગરનો સમાવેશ થાય છે, આ બંને અનુક્રમે ટેક્નિશિયન અને સિનિયર સેકશન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.

હાવડા-જમશેદપુર સોમલેશ્વરી એક્સપ્રેસ સિંગાપુર રોડ અને કુતગુડા રેલવે સ્ટેશનની વચ્ચે ટાવર કારને અથડાતા પાટા પરથી ઉતરી ગઈ હતી. ટાવર કારનો ઉપયોગ રેલવેના વિવિધ થાંભલાઓ સહિતની વસ્તુઓના મેન્ટેનન્સ માટે કરવામાં આવે છે.

 

Tags:    

Similar News