આણંદ : ઉમરેઠમાં શોર્ટસર્કિટ થતા લગ્ન મંડપમાં લાગી આગ, લોકોમાં મચી અફરાતફરી
BY Connect Gujarat19 Feb 2021 3:52 PM GMT
X
Connect Gujarat19 Feb 2021 3:52 PM GMT
આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગતાં આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં આવેલ નાસીકવાળા હોલ ખાતે શણગારેલા મંડપમાં અચાનક જ આગ લાગી હતી. બનાવના પગલે હાજર લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આવતી કાલે લગ્ન પ્રસંગ હોવાથી મંડપમાં લાઇટિંગ ડેકોરેશન તૈયાર થઈ જતાં ટેસ્ટિંગ માટેની કામગીરી ચાલી રહી હતી. તે દરમ્યાન મંડપ ડેકોરેશનમાં શોર્ટસર્કિટ થતા મંડપ ભભૂકી ઉઠ્યો હતો, ત્યારે ફાયર વિભાગને જાણ કરતાં પહેલા જ આસપાસના યુવાનોએ મંડપમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. મંડપમાં આગ લાગવાની ઘટના સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે મંડપના સરસામાનને મોટું નુકશાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Next Story