Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : નવા ધંતુરીયામાં ભત્રીજો બન્યો હત્યારો, 41 વર્ષીય ફોઇની કરી હત્યા

અંકલેશ્વર : નવા  ધંતુરીયામાં ભત્રીજો બન્યો હત્યારો, 41 વર્ષીય ફોઇની કરી હત્યા
X

અંકલેશ્વર

જીઆઇડીસીમાં આડા સંબંધમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હોવાની

ઘટનાની શાહી સુકાઇ નથી તેવામાં નવા ધંતુરીયા ગામમાં આડા સંબંધની આશંકાએ

ભત્રીજાએ ફોઇની હત્યા કરી નાંખી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

આડા

સંબંધોની આશંકાથી અનેક પરિવારોનો કિલ્લોલ માતમમાં ફેરવાઇ જતો હોય છે. અંકલેશ્વર

તાલુકાના નવા ધંતુરીયા ગામમાં આડા સંબંધની આશંકાએ ભત્રીજો હત્યારો બન્યો હતો અને

સગી ફોઇને રહેંસી નાંખી ફરાર થઇ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર નવા ધંતુરીયા ગામમાં

રહેતાં અમીબેન વસાવાનો હત્યા કરાયેલો મૃતદેહ તેમના નિશાળ ફળિયા સ્થિત નિવાસેથી મળી

આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અમી વસાવાની હત્યા ખુદ તેમના ભત્રીજા પ્રવિણ ઉર્ફે

પલ્લુ વસાવાએ કરી હોવાની વિગતો સપાટી પર આવી હતી. આરોપી પ્રવિણને તેની પત્નીને ફોઇ

અમી વસાવાના દીકરા સાથે આડા સંબંધોની આશંકા હતી અને તેથી રોષે ભરાઇને તેણે હત્યાને

અંજામ આપ્યો હોવાની વિગતો બહાર આવી છે પણ પોલીસ હજી વધુ તપાસ કરી રહી છે. ફોઇને

ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી ભત્રીજો ફરાર થઇ ગયો છે.

આરોપીને ઝડપી પાડવા અંકલેશ્વર તાલુકા પોલીસે કવાયત હાથ ધરી છે.

Next Story