Connect Gujarat
Featured

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ નજીક ટ્રકની અડફેટે સાઇકલ ચાલકનું મોત, પોલીસે કરી ટ્રક ચાલકની અટકાયત

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ નજીક ટ્રકની અડફેટે સાઇકલ ચાલકનું મોત, પોલીસે કરી ટ્રક ચાલકની અટકાયત
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા સર્કલ નજીક ટ્રકની અડફેટે આવી જતાં સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માત બાદ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના હાર્દસમાં વિસ્તાર એવા ત્રણ રસ્તા સર્કલ નજીક સાંજના સમયે ગફલત ભરી રીતે હંકારતા ટ્રક ચાલકે એક સાઇકલ સવારને અડફેટમાં લીધો હતો. અકસ્માતના પગલે સાઇકલ સવારને ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ટ્રક ચાલક અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ત્રણ રસ્તા સર્કલ નજીકનું શાક માર્કેટ હટાવવા માટે જાગૃત નાગરિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે. તેમ છતાં પણ શાક માર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યા આજદિન સુધી હલ થઇ નથી. જેના કારણે અવારનવાર શાક માર્કેટ નજીક અકસ્માતોના બનાવ બનતા રહે છે.

Next Story