અંકલેશ્વર: 1.75 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પોનું કરાયું લોકાર્પણ
BY Connect Gujarat20 Jan 2021 1:39 PM GMT
X
Connect Gujarat20 Jan 2021 1:39 PM GMT
અંકલેશ્વરના નિરાંત નગરમાં રૂપિયા 1.75 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિકાસના વિવિધ પ્રકલ્પોનું સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુટણી પૂર્વે વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 2માં આવેલ નિરાંત નગરમાં રૂપિયા 1.75 કરોડના ખર્ચે વરસાદી કાંસ,આર.સી.સી.રોડ અને ગટર લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો લોકાર્પણ સમારોહ આજરોજ યોજાયો હતો જેમાં રાજયના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ,જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા સહિત ભાજપના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતું કે આવનારા દિવસોમાં પણ સ્થાનિકોના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવી વિકાસના અન્ય કામો પણ કરવામાં આવશે
Next Story