ભરૂચ : કોરોનામાંથી સાજા થયા બાદ બેંકના મેનેજરે કર્યું એવું કામ કે તમે પણ કરશો પ્રસંશા

New Update
ભરૂચ : કોરોનામાંથી સાજા થયા બાદ બેંકના મેનેજરે કર્યું એવું કામ કે તમે પણ કરશો પ્રસંશા

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલી જીવનજયોત હોસ્પિટલ ખાતે શનિવારના રોજ ભાવ વિભોર દ્રશ્યો જોવા મળ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલાં બેંક ઓફ બરોડાના રીજીયોનલ મેનેજર કોરોનામાંથી સાજા થઇ ગયાં બાદ તેમણે એક અનોખી પહેલ કરી હોસ્પિટલને 50 પીપીઇ કીટ ભેટમાં આપી છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના 2 હજાર કરતાં વધારે કેસ નોંધાય ચુકયાં છે. બેંક ઓફ બરોડાની ભરૂચ શાખાના રીજીયોનલ મેનેજર કોરોના વાયરસથી સંક્રમિત થયાં હતાં. તેમને સારવાર માટે ભરૂચની જીવનજયોત હોસ્પિટલ ખાતે દાખલ કરાયાં હતાં. સારવાર બાદ તેઓ કોરોનાને મ્હાત આપી ઘરે પાછા ફર્યા હતાં. હોસ્પિટલના સ્ટાફે કરેલી સારવારને બિરદાવવા માટેે તેમણે અનોખી પહેલ કરી હતી. તેમણે હોસ્પિટલને 50 પીપીઇ કીટ ભેટમાં આપી છે.

Read the Next Article

ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, સુરેન્દ્રનગર,પાટણ, અને બનાસકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ કર્યું જાહેર

ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

New Update
મધ્યમ વરસાદ

ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

હવામાન વિભાગે સુરેન્દ્રનગર, પાટણ, અને બનાસકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, સાબરકાંઠા, અરવલ્લી, અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને માલપુર અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં રાત્રી દરમિયાન 6 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઝમઝમ, આઝાદ ચોક, આઈજી પાર્ક અને અતાનગર જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં રહીશોની ઘરવખરી પલળી ગઈ હતી. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવામાં સમય લાગી રહ્યો છે.

અમદાવાદમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. એસ.જી. હાઈવેના સર્વિસ રોડ અને ઝાયડ્સથી થલતેજ તરફ જવાનો રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 30 મિનિટથી વધુ સમયથી વરસાદનો વિરામ હોવા છતાં પાણી ઓસર્યા નથી, જે અમદાવાદ મનપા અને નેશનલ ઓથોરિટીની પ્રિ-મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. સીઝનનો કુલ 21 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હાલ પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે. અનેક વાહનોમાં પાણી ઘૂસી જતાં બંધ પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.

Latest Stories