Connect Gujarat
ગુજરાત

ભરૂચ : હરીપુરા ગામ પાસે કારની ટક્કરે કેલ્વીકુવાના યુવાનનું મોત

ભરૂચ : હરીપુરા ગામ પાસે કારની ટક્કરે કેલ્વીકુવાના યુવાનનું મોત
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ વાલિયા રોડ ઉપર આવેલા હરીપુરા ગામ પાસે કારના ચાલકે બાઇકને ટક્કર મારતા કેલ્વીકુવાના યુવાનનું મોત નીપજયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના બે વ્યક્તિઓ મોટરસાઈકલ લઇને સવારના સાતેક વાગ્યાના સુમારે કેલ્વીકુવાથી વાલીયા એપીએમસીમાં મજુરીકામ કરવા માટે નિકળ્યા હતા. જે દરમિયાન સવારના આઠેક વાગ્યાની આસપાસ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ હરીપુરા ગામના વળાંક પાસે પસાર થતાં સામેછેડેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવતી કારના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર સાઇકલ સવાર 20 વર્ષીય આનંદ વસવાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. અન્ય એકને ઇજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવા આવ્યો હતો. અને આબાદ બચાવ થયો હતો. જ્યારે બંને વાહનોના ફુરચેફુરચા ઉડી ગયા હતા. બનાવની રાહદારીઓ અને વાહનચાલકોને ખબર થતાં ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. આ બાબતે ઝઘડીયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Next Story