ખેડૂત આંદોલન સાથે સંકળાયેલ ખેડૂત નેતા રાકેશ ટીકૈટ આજરોજ ભરૂચના લુવારા ખાતે આવી પહોંચ્યા હતા અને ગુરુદ્વારમાં શીશ ઝુકાવ્યું હતું.
કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલ ખેડૂત નેતા રાકેશ ટીકૈટ 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજરોજ વડોદરાથી તેઓ સીધા ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ લુવારા ગુરુદ્વારા પર આવી પહોચ્યા હતા. ગુરુદ્વારા પર આવતા પૂર્વે તેઓએ ટ્રેકટર રેલી કાઢી હતી અને જાતે ટ્રેકટર હંકારી ગુરુદ્વારા પર પહોચ્યા હતા અને ગુરુદ્વારા પર શીશ ઝુકાવ્યું હતું. તેઓ સાથે ગુજરાતના પૂર્વ સી.એમ.શંકરસિંહ વાઘેલા પણ જોડાયા હતા. બંન્ને આગેવાનોએ ખેડૂતો સાથે ઔપચારીક મુલાકાત કરી હતી. રાકેશ ટીકૈતના સ્વાગતના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમાલસિંહ રણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહિત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો જોડાયા હતા. રાકેશ ટીકૈતની મુલાકાતના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રાકેશ ટીકૈતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂત આંદોલન હજુ આગળ ચાલશે, ગુજરાતના ખેડૂતોના પણ ઘણા પ્રશ્નો છે પરંતુ બહાર નથી આવતા આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો પણ તેમના પ્રશ્નોને લઈ રસ્તા પર આવશે

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170