ભરૂચ: વાલીયાના મીરાપુર ગામે પશુપાલન વિષય પર તાલીમ યોજાય
BY Connect Gujarat4 Nov 2020 10:54 AM GMT
X
Connect Gujarat4 Nov 2020 10:54 AM GMT
ભરૂચ વાલીયા તાલુકાના મીરાપુર ગામે ખેડૂત તાલીમ રાખવામા આવી હતી. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના પશુપાલન વિષયના નિષ્ણાત ડૉ.ધનંજય શિંકર દ્વારા પશુપાલનમાં મિનરલ પાવડરનું મહત્વ,પશુઓમા કૃમિ , ઇતરડાના અને ગાય ભેસ ગરમીમાં ન આવવાના પ્રશ્નો વિષે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે મિનરલ પાઉડર, કૃમિ તેમજ ઇતરડાની દવાઓ આપવામાં આવી હતી. વિસ્તરણ નિષ્ણાત હર્ષદ એમ વસાવા દ્વારા KVKમાં ચાલતી વિવિધ તાલીમો અને નિદર્શનો વિષે માહિતી આપી હતી અને ખેતી વિષયક તાલીમો લેવા માટે આગ્રહ કર્યો હતો.
Next Story