ભરૂચ : કતપોર ગામે વરૂડી ખોડીયાર માતાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
BY Connect Gujarat14 Feb 2020 2:19 PM GMT
X
Connect Gujarat14 Feb 2020 2:19 PM GMT
ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના કતપોર ગામે સમસ્ત આહિર
સમાજના કંટારીયા પરીવાર દ્વારા આઈ શ્રી વરૂડી ખોડીયાર માતાજીના મંદિરનો
જીર્ણોદ્ધાર કરી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
હાંસોટ તાલુકાના કતપોર ગામે સમસ્ત આહીર સમાજ કંટારીયા
પરિવાર દ્વારા આઈ શ્રી વરૂડી ખોડીયાર માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરી
પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જેમાં રાજ્યના સહકાર મંત્રી
ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે માતાજીના યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે
માતાજીનું જાગરણ, ભજન-સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 96 જેટલા
નવદંપતિઓ દ્વારા નવચંડી યજ્ઞ દરમ્યાન શ્રીફળ વધેરી મહા આરતીનો લ્હાવો લીધો હતો.
મહા પ્રસાદીનું પણ વિશેષ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આહિર
સમાજના ભાઈઓ-બહેનો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
Next Story