ભરૂચ : દહેજની બિરલા કોપર કંપનીમાં કામદારનું મોત, જુઓ પછી શું થયું
BY Connect Gujarat5 Feb 2020 1:01 PM GMT
X
Connect Gujarat5 Feb 2020 1:01 PM GMT
વાગરા
તાલુકાના દહેજ સ્થિત બિરલા કોપર કંપનીમાં ડમ્પર રીવર્સ લેતી વેળા કામદારનું મોત
થયું હતું. કામદારના મોતની ઘટના બાદ દોડી આવેલાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
ભરૂચ
જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલી બિરલા કોપર કંપનીમાં જુના તવરાનો રહેવાસી
ચિરાગ ગોહીલ ફરજ બજાવે છે. તે કંપનીમાં જીપ્સમના ઢગલા પાસે ઉભો હતો તે સમયે રીવર્સ
આવી રહેલાં ડમ્પરના ચાલકે તેને અડફેટમાં લીધો હતો. ગંભીર ઇજાના પગલે ચિરાગ
ગોહિલનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો અને આસપાસના
ગામના લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે કંપની વિરૂધ્ધ બેદરકારીના આક્ષેપો
કર્યા હતાં. મૃતદેહને કાયદેસરની કાર્યવાહી વિના જ લઇ જવાતો હોવાના મુદે સ્થાનિકો
અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. જો કે બાદમાં મામલો થાળે પડયો હતો.
Next Story