ભરૂચ : NH-48 પર વરેડિયા નજીક સલ્ફર ભરેલી ટ્રકમાં આગ ફાટી નીકળતા મચી દોડધામ...

વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇવે સલ્ફર ભરીને જતી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.

New Update
ભરૂચ : NH-48 પર વરેડિયા નજીક સલ્ફર ભરેલી ટ્રકમાં આગ ફાટી નીકળતા મચી દોડધામ...

નેશનલ હાઇવે નં. 48 પર વરેડિયા ગામ નજીકનો બનાવ

ગત રાત્રે ટ્રકમાં આગ લાગતાં હાઇવે ઉપર મચી દોડધામ

ભરૂચ પાલિકા - કરજણ ફાયર વિભાગની ટીમ દોડી આવી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર વરેડિયા ગામ નજીક ગત રાત્રે ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. બનાવના પગલે ભરૂચ નગરપાલિકા અને કરજણ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર પાલેજના વરેડિયા ગામ નજીક ટ્રકમાં આગ લાગતાં લોકોમાં ગભરાટ પ્રસરી જવા પામી હતી. આગની જાણ થતાં જ ભરૂચ અને કરજણ પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇવે સલ્ફર ભરીને જતી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.

ભરૂચ મામલતદાર, નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સહિતના ફાયર જવાનો અને 2 ફાયર ટેન્ડરો સાથે સ્થળ પર દોડી ગયા હતા. આ ઉપરાંત કરજણ પાલિકાના ફાયર વિભાગના એક ફાયર ટેન્ડર સાથે લાશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. જોકે, પોલીસ કાફલાએ ટ્રાફિકને હળવો કરાવી પૂર્વવત કર્યો હતો.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">


Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.