/connect-gujarat/media/post_banners/6657824cbdf99c5821851838b637f29e313bdcdd54e07a83ae844788b6322341.jpg)
અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામની નવી નગરીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 26 હજાર મળી કુલ 2.30 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા
અંકલેશ્વરનાં સેંગપૂર રોડ ઉપર આવેલ જીતાલી ગામની નવી નગરીમાં રહેતી ઉજમબેન વસાવા ગતરોજ પોતાના ઘરે હતા તે દરમિયાન ફળિયામાં રહેતી તારાબેન વસાવાની પુત્રને પોતાના ઘરે રમવા માટે લઈ આવ્યા હતા જે બાદ તેઓ બાળકીને તેના ઘરે મૂકવા ગયા હતા તે સમયે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજા ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 26 હજાર મળી કુલ 2.30 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.