Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીક બે ટ્રકની વચ્ચે કાર ડૂચો વળી ગઈ,કારમાં સવાર 2 લોકોના કમકમાટી ભર્યા મોત

નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી પાસે બે ટ્રકની વચ્ચે કાર ઘૂસી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા

અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીક બે ટ્રકની વચ્ચે કાર ડૂચો વળી ગઈ,કારમાં સવાર 2 લોકોના કમકમાટી ભર્યા મોત
X

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી પાસે બે ટ્રકની વચ્ચે કાર ઘૂસી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આજે બપોરના સમયે દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના એટલી ભયંકર હતી કે કાર ચાલકના સ્ટિયરિંગ પર માત્ર આંગળા જ નિહાળી શકાતા હતા. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલ કાર અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન બે ટ્રકનબી વચ્ચે કાર આવી જતાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર જાણે રમકડું થઈ હતી. આગળ ચાલતી ટ્રકે બ્રેક લગાવતા કાર ચાલકે પણ તેની ગતિ ધીમી કરી હતી જો કે પાછળથી ટાઇલ્સ ભરીને આવે રહેલ ટ્રક કાર સાથે ભ્ત્કાય હતી અને કાર બે ટ્રક વચ્ચે જાણે સેન્ડવીચ બની ગઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્રણ ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. અંકલેશ્વર ડી.પી.એમ.સીના જવાનો દ્વારા બે કલાકની જહેમત બાદ કારના પતરાને કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Next Story