અંકલેશ્વર : પિરામણની પ્રાથમિક શાળામાં પીવાના પાણીની પરબનું લોકાર્પણ
અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં પીવાના પાણીની પરબનું ફૈઝલ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું..
BY Connect Gujarat10 March 2022 12:01 PM GMT
X
Connect Gujarat10 March 2022 12:01 PM GMT
અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં પીવાના પાણીની પરબનું ફૈઝલ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું..
અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં સન ફાર્મા કંપનીના સહયોગથી પીવાના પાણીની પરબ ઉભી કરાય છે. આ પ્રસંગે મરહુમ સાંસદ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. શાળામાં 500 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયાં છે ત્યારે ઉનાળામાં તેમને પાણીની સમસ્યા નડશે નહી.. શાળાના આચાર્ય રાજુ પ્રજાપતિ, સનફાર્મા કંપનીના પ્લાન્ટ હેડ અમોલ ચૌહાણ, સીઆર હેડ રવિ ગાંધી, એચઆર હેડ બલજીત શાહ, કલસ્ટર સીએસઆર શહેઝાદ બેલીમ, પીરામણના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ, એચએમપી ફાઉન્ડેશનના વસીમ રાજા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.
Next Story