Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : આઝાદ નગરમાં પત્નીની હત્યા કરી પતિ ફરાર, હત્યાનું કારણ અકબંધ

અંકલેશ્વરના આઝાદ નગરના એક મકાનમાથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે.

અંકલેશ્વર : આઝાદ નગરમાં પત્નીની હત્યા કરી પતિ ફરાર, હત્યાનું કારણ અકબંધ
X

અંકલેશ્વરના આઝાદ નગરના એક મકાનમાથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે . પરિણીતાની હત્યા તેના જ પતિએ કરી હોવાની આશંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ શાંતિ નગર પાસેના આઝાદ નગરમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મોબસેરાખાતુંન સદ્દામહુસૈન સમસુલહુંદા (ચૌધરી) તેમના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની હત્યા તેના પતિ સદ્દામહુસૈન સમસુલહુંદા (ચૌધરી) નાઓએ મુકાઓ મારી તથા ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે જેના કારણે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કરવા હત્યારા પતિની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. જો કે પત્નીની હત્યા કયા કારણોસર પતિએ કરી છે તે તો પતિની ધરપકડ બાદ જ બહાર આવશે તેવુ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

Next Story