અંકલેશ્વર : નીલકંઠ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ કર્યો લાખોના મત્તા પર હાથફેરો, પોલીસ દોડતી થઈ...
સતત ચોથા દિવસે પણ વધુ એક ચોરીનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે
BY Connect Gujarat Desk29 Dec 2022 8:40 AM GMT
X
Connect Gujarat Desk29 Dec 2022 8:40 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે, ત્યારે હવે સતત ચોથા દિવસે પણ વધુ એક ચોરીનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર પંથકમાં સતત ચોથા દિવસે પણ તસ્કરોનો આતંક સામે આવ્યો છે.
જેમાં શહેર વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીના 28 નંબરના મકાનમાં ચોરી થઈ છે. નીલકંઠ સોસાયટીમાં રહેતો પરિવાર લગ્નપ્રસંગ માટે બહારગામ ગયો હતો, ત્યારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના મળી લાખોના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે મકાન માલિકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી.
Next Story