અંકલેશ્વર: ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 51 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા

અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા ગુંજ ગ્રાઉન્ડ ખાતે રવિવારે છઠ્ઠો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો હતો.

New Update
અંકલેશ્વર: ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 51 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા

ભરૂચના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા ગુંજ ગ્રાઉન્ડ ખાતે રવિવારે છઠ્ઠો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો હતો.

અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 51 યુગલોએ રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ, મુખ્ય મહેમાન શિવલાલજી ગોયલની ઉપસ્થિતીમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ પ્રસંગે ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, ધર્મેશ ચાવડા, પિયુષ પટેલ, સંદીપ પટેલ, હરિવદન પટેલ, ગણેશ અગ્રવાલ, જ્યેન્દ્ર પટેલ અને સંજય ભટ્ટ સહિતે સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.