Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સજોદ ગામની સીમમાંથી મોટર સહિત રૂ. 2.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાંથી પસાર થતી નહેર પાસેથી મોટર સહિત રૂપિયા 2.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર : સજોદ ગામની સીમમાંથી મોટર સહિત રૂ. 2.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાંથી પસાર થતી નહેર પાસેથી મોટરો સહિત રૂપિયા 2.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં રહેતા ચંદ્રસિંહ ચૌહાણનું ગામની સીમમાં ખેતર આવેલું છે. જે ખેતરમાં તેઓ નહેરમાંથી પાણી મારફતે પિયત ખેતી કરે છે. જેઓએ નહેરમાંથી પાણી લેવા માટે મોટર મુકી છે. જે સ્થળે અન્ય 7 મોટર પણ પાણી ખેંચવા માટે મુકી હતી. જે મોટરો તસ્કરોના નિશાને આવી ચઢતા 7માંથી 5 મોટરો મળી અંદાજિત 2.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે ખેડૂતોએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. જોકે, 1 મહિના અગાઉ પણ અહીથી વાયરોની ચોરી થઇ હોવાની માહિતી પણ બહાર આવી છે.

Next Story