Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDC વિસ્તારમાં ત્રણ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા; લાખોની મત્તા ચોરી કરી ફરાર

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ રો-હાઉસ ખાતે બે જેટલા મકાનોના રાત્રી દરમિયાન તાળાં તૂટવા પામ્યા હતા

X

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ રો-હાઉસ ખાતે બે જેટલા મકાનોના રાત્રી દરમિયાન તાળાં તૂટવા પામ્યા હતા. જેમાં બંધ મકાન નંબર 8માં તસ્કરોએ લેપટોપ તેમજ અન્ય વસ્તુઓની અંદાજીત 5 હજારની ચોરી થઈ હતી તેમજ અન્ય બાજુના જ અન્ય બંધ મકાન નંબર 60માં દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરોએ અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરી તેમજ કારની પણ ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. તો આ તરફ પંચવટી બંગ્લોઝ સોસાયટીના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં મકાનમાલિક બહારગામ ગયા હતા તે દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પ્રવેશી ગોદરેજ કંપની લોખંડની તિજોરીના તાળા તોડી તેમાં રહેલા રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના લેપટોપ સહિત કારની પણ ચોરી કરી અંદાજિત 31 લાખ ઉપરાંતની ચોરીની ફરિયાન પોલીસ સ્ટેશને નોધાવા પામી છે.

Next Story