અંકલેશ્વર:નવી દીવી ગામે તસ્કરોએ કરિયાણાની દુકાનને બનાવી નિશાન, રૂ. 15 હજારના માલમત્તાની ચોરી
કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સિગારેટ સહિતની વસ્તુની ચોરી કરી ફરાર થઇ ગયા
BY Connect Gujarat Desk8 Sep 2022 6:59 AM GMT
X
Connect Gujarat Desk8 Sep 2022 6:59 AM GMT
અંકલેશ્વરના નવી દીવી ગામના અંબાજી ફળિયામાં તસ્કરોએ કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સિગારેટ સહિતની વસ્તુની ચોરી કરી ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના નવી દીવી ગામના અંબાજી ફળિયામાં રહેતા જશવંત વસાવા પોતાના બીજા મકાનમાં કરિયાણાની દુકાન ચલાવે છે જેઓ ગતરોજ પોતાની દુકાન બંધ કરી અન્ય મકાન ખાતે સુવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ કરિયાણાની દુકાન વાળા મકાનને નિશાન બનાવ્યું હતું
તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સામાન વેરવિખેર કરી દુકાનમાં રહેલ રોકડા ૧૦ હજાર તેમજ ચિલ્લર,સિગારેટ સહીત માવો મળી કુલ ૧૫ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Next Story