Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પ્રાંત કચેરી ખાતે શહેર-તાલુકા તાજીયા કમિટીની બેઠક યોજાય, વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરાય...

પ્રાંત કચેરી ખાતે તાજીયા કમિટીના સભ્યોની બેઠક યોજાય, તાજિયાના રૂટમાં આવતા કામોનું નિવારણ લાવવા ચર્ચા.

X

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે શહેર તેમજ તાલુકા તાજીયા કમિટીના આગેવાનો તથા આયોજકો સાથે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી નીતિશા માથુર, વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ, એ’ ડિવિઝન પીઆઇની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર તેમજ તાલુકા તાજીયા કમિટીના આગેવાનો તથા આયોજકો સાથે અગત્યની બેઠક યોજાય હતી. આ બેઠકમાં નગરપાલિકા, વિદ્યુત બોર્ડ તેમજ વિવિધ એજન્સીઓના કર્મીઓને હાજર રાખી તાજિયાના રૂટમાં આવતા તમામ કામો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ સાથે જ તમામ મુદ્દાઓનું વહેલી તકે નિવારણ લાવવા સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીના પ્રમુખ બક્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, નજમુદ્દીન શેખ, અમન પઠાણ, અઝીમુલ્લા મલેક, ઈમ્તિયાઝ ઘોણીયાવાળા સહિત મોટી સંખ્યામાં કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story