અંકલેશ્વર: પાનોલીમાં નહેર પાસે જુગાર રમતા બે જુગારીઓ ઝડપાયા,પોલીસે કાર્યવાહી શરૂ કરી
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી જી.આઈ.ડી.સી.ની આર.એસ.પી.એલ.કંપની પાછળ નહેર પાસે જુગારધામ ચાલી રહ્યું છે
BY Connect Gujarat Desk10 Aug 2022 12:05 PM GMT
X
Connect Gujarat Desk10 Aug 2022 12:05 PM GMT
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી જી.આઈ.ડી.સી.ની આર.એસ.પી.એલ.કંપની પાછળ નહેર પાસે જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંકલેશ્વરની ચાંદની પાર્કની બાજુમાં આવેલ ફૈઝ પાર્ક-૧માં રહેતો જુગારી મોહમદ આસિફ ઉર્ફે શાહરૂખ મોહમદ શબ્બીર શેખ અને શંકર કેશવલાલ પંડયાને ઝડપી પાડ્યો હતો.
Next Story