અંકલેશ્વર: મેંગલોરથી કાશ્મીર જવા નીકળેલ સાયકલ યાત્રીઓનું કરાયું સ્વાગત, 3500 કી.મી.નો સાયકલ પર કરશે પ્રવાસ

અંકલેશ્વરમાં સાયકલ યાત્રીઓનુ કરવામાં આવ્યું સ્વાગત, મેંગલોરથી કાશ્મીર જવા નીકળ્યા છે સાયકલ યાત્રીઓ

New Update
અંકલેશ્વર: મેંગલોરથી કાશ્મીર જવા નીકળેલ સાયકલ યાત્રીઓનું કરાયું સ્વાગત, 3500 કી.મી.નો સાયકલ પર કરશે પ્રવાસ

ગ્રીન ઈન્ડિયા મૂવમેન્ટ અને અંગદાન એજ મહાદાનના સંદેશ સાથે મેંગલોરથી કાશ્મીર જવા નીકળેલ સાઈકલ યાત્રીઓનું ભરૂચ- અંકલેશ્વરના સાયક્લિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

કર્ણાટકના મેંગલોર ખાતે રહેતા શ્રીનિધી શેટ્ટી અને જગદીશ કુલાલ ગ્રીન ઈન્ડિયા મૂવમેન્ટ અને અંગદાન એજ મહાદાનના સંદેશ સાથે મેંગલોરથી કાશ્મીર સુધી સાઇકલ યાત્રા પર નીકળ્યા છે જેઓ લોકોમાં અંગદાન એજ મહાદાન જન જાગૃતિ ફેલાવી રહ્યા છે જેઓ ૨૮ દિવસ બાદ ૩૫૦૦ કિલો મીટરની યાત્રા ખેડી આજરોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવી પહોંચતા તેઓનું ભરૂચ- અંકલેશ્વરના સાયક્લિસ્ટ ગ્રુપના સભ્ય શ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણએ ભવ્ય સ્વાગત કર્યું હતું જેઓ બંને સાયક્લિસ્ટો ટૂંકું રોકાણ કરી આગળના પ્રવાસે નીકળ્યા હતા.

Latest Stories