અંકલેશ્વર: મેંગલોરથી કાશ્મીર જવા નીકળેલ સાયકલ યાત્રીઓનું કરાયું સ્વાગત, 3500 કી.મી.નો સાયકલ પર કરશે પ્રવાસ

અંકલેશ્વરમાં સાયકલ યાત્રીઓનુ કરવામાં આવ્યું સ્વાગત, મેંગલોરથી કાશ્મીર જવા નીકળ્યા છે સાયકલ યાત્રીઓ

New Update
અંકલેશ્વર: મેંગલોરથી કાશ્મીર જવા નીકળેલ સાયકલ યાત્રીઓનું કરાયું સ્વાગત, 3500 કી.મી.નો સાયકલ પર કરશે પ્રવાસ

ગ્રીન ઈન્ડિયા મૂવમેન્ટ અને અંગદાન એજ મહાદાનના સંદેશ સાથે મેંગલોરથી કાશ્મીર જવા નીકળેલ સાઈકલ યાત્રીઓનું ભરૂચ- અંકલેશ્વરના સાયક્લિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisment

કર્ણાટકના મેંગલોર ખાતે રહેતા શ્રીનિધી શેટ્ટી અને જગદીશ કુલાલ ગ્રીન ઈન્ડિયા મૂવમેન્ટ અને અંગદાન એજ મહાદાનના સંદેશ સાથે મેંગલોરથી કાશ્મીર સુધી સાઇકલ યાત્રા પર નીકળ્યા છે જેઓ લોકોમાં અંગદાન એજ મહાદાન જન જાગૃતિ ફેલાવી રહ્યા છે જેઓ ૨૮ દિવસ બાદ ૩૫૦૦ કિલો મીટરની યાત્રા ખેડી આજરોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવી પહોંચતા તેઓનું ભરૂચ- અંકલેશ્વરના સાયક્લિસ્ટ ગ્રુપના સભ્ય શ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણએ ભવ્ય સ્વાગત કર્યું હતું જેઓ બંને સાયક્લિસ્ટો ટૂંકું રોકાણ કરી આગળના પ્રવાસે નીકળ્યા હતા.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વિશ્વાસઘાતના ગુનામાં 5 વર્ષથી ફરાર મહિલા આરોપીની દાહોદથી કરી ધરપકડ

ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના પોલીસકર્મીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે દાહોદના ગરબાડા ખાતે તપાસમા ગયા હતા. તે દરમ્યાન

New Update
IMG-20250604-WA0039

ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના પોલીસકર્મીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે દાહોદના ગરબાડા ખાતે તપાસમા ગયા હતા.

તે દરમ્યાન મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર શહેર "એ"ડીવી.પોલીસ મથકના ગુનાની મહિલા આરોપી
લીલાબેન ઉર્ફે મિન્દીબે સુરેશભાઇ ઉર્ફે સુકિયાભાઇ દેહદા રહે.દેવધા,નિશાળ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદનાને ઝડપી પાડવામાં આવી હતી.પોલીસે મહિલા આરોપીને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહિલા આરોપી છેલ્લા 5 વર્ષથી વિશ્વાસઘાતના ગુનામાં ફરાર હતી જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Advertisment
Advertisment
Latest Stories