Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાલીયાના ભુજયાવડ પાસે અકસ્માતમાં 2 લોકોના મોત

ભરૂચ: વાલીયાના ભુજયાવડ પાસે અકસ્માતમાં 2 લોકોના મોત
X

વાલિયા-ડહેલી માર્ગ ઉપર ભુજયા વડ પાસે બે બાઈકો સામસામે ભટકાતાં નેત્રંગના યુવાનું મોત નીપજયું હતું. જ્યારે એક મહિલા સહિત ત્રણની ગંભીર ઇજાઓ પહોંચી હતી।

મૂળ નેત્રંગના દેશમુખ ફળિયાનો અને હાલ સુરત ખાતે રહેતો રાકેશ અરવિંદ વસાવા અને તેની પત્ની તેમજ ભાઈ સાથે સુરતથી બાઇક ઉપર વાલિયા-ડહેલી માર્ગ ઉપરથી નેત્રંગ ગામ ખાતે જવા નીકળ્યા હતા. તે દરમિયાન વાલિયા-ડહેલી બાયપાસ રોડ ઉપર ભુજીયા વડ પાસે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલ અન્ય બાઇક સવાર બે યુવાનોએ રાકેશ વસાવાની બાઇક સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાકેશ અરવિંદ વસાવાનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું. જ્યારે તેની પત્ની અને ભાઈ સહિત ત્રણને સહિત અલ્પેશ વસાવાને ઇજાઓ પહોંચતા તેઓને વાલિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જેમાં અકસ્માતમાં સારવાર દરમિયાન અલ્પેશ વસાવાનું મોત થયું હતું. અકસ્માતને પગલે વાલિયા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story