-
ભરૂચમાં આવતીકાલે રથયાત્રા
-
ફુરજા વિસ્તારમાંથી રથયાત્રા નિકળશે
-
સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાય
-
પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયુ
-
સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર
ભરૂચમાં આવતીકાલે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ભરૂચમાં રથયાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ફ્લેગમાર્ચ યોજાઈ હતી. આ ફ્લેગમાર્ચમાં એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
આ ફ્લેગમાર્ચ દરમિયાન ભરૂચ DYSP સહિત પીઆઇ,પીએસઆઇ સહિતના પોલીસ કર્મી હાજર રહ્યા હતા અને પોલીસકર્મીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ શહેરમાં 27 જૂનના રોજ આયોજિત જગન્નાથજીની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને અનુકૂળ પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.