ભરૂચ: સમગ્ર હિન્દૂ સમાજ સંગઠન દ્વારા બુટલેગર સામે કાર્યવાહીની માંગ,કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

ભરૂચ જિલ્લા સમગ્ર હિન્દૂ સમાજ સંગઠન દ્વારા બુટલેગર સામે કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

New Update
ભરૂચ: સમગ્ર હિન્દૂ સમાજ સંગઠન દ્વારા બુટલેગર સામે કાર્યવાહીની માંગ,કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

ભરૂચ જિલ્લા સમગ્ર હિન્દૂ સમાજ સંગઠન દ્વારા બુટલેગર સામે કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

સમગ્ર હિન્દૂ સમાજ સંગઠન દ્વારા ભરૂચ મદીના પાર્કમાં રહેતા બુટલેગર ઇનાયત રાજ વિરુદ્ધ કલેકટરને આવેદન આપી રજુઆત કરાઈ હતી. બુટલેગર અને તેના ભાઈ સામે કાર્યવાહી કરી ગેરકાયદેસર ધંધાઓ બંધ કરાવવા માંગણી કરાઈ હતી. જેમાં વિરલ ગોહિલ, જસવંત ગોહિલ, સેજલ દેસાઈ, રાજેશ પંડિત સહિતના જોડાયા હતા.

Read the Next Article

ભરૂચ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ સુરક્ષા વ્યવસ્થા સઘન, પોલીસ દ્વારા ફૂટપેટ્રોલિંગ યોજાયું

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ભરૂચ પોલીસે ફ્લેગમાર્ચ યોજી

New Update
  • ભરૂચમાં આવતીકાલે રથયાત્રા

  • ફુરજા વિસ્તારમાંથી રથયાત્રા નિકળશે

  • સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાય

  • પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયુ

  • સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર

ભરૂચમાં આવતીકાલે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ભરૂચમાં રથયાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ફ્લેગમાર્ચ યોજાઈ હતી. આ ફ્લેગમાર્ચમાં એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
આ ફ્લેગમાર્ચ દરમિયાન ભરૂચ  DYSP સહિત પીઆઇ,પીએસઆઇ સહિતના પોલીસ કર્મી  હાજર રહ્યા હતા અને પોલીસકર્મીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ શહેરમાં 27 જૂનના રોજ આયોજિત જગન્નાથજીની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને અનુકૂળ પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.