ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી ઝડપાયું રૂ.1300 કરોડનું ડ્રગ્સ

ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે 1383 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડતા હાહાકાર મચી જવા પામી છે

New Update
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી ઝડપાયું રૂ.1300 કરોડનું ડ્રગ્સ

ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે 1383 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડતા હાહાકાર મચી જવા પામી છે.

ભરૂચ જિલ્લામાં કેમિકલ ક્લસ્ટરની અંકલેશ્વરની પાનોલી જીઆઇડસીમાંથી ડ્રગ્સ ફેકટરી પકડાતા ખળભળાટ મચી ગયો છે.પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની વર્ષ 2017 માં શરૂ થઇ હતી.5 એફ સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડાયઝ અને ડાય ઇન્ટરમીડિયેટનું ઉત્પાદન કરવાનું હતું.જોકે આજે આ કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વેલી યુનિટે એમડી ડ્રગ્સના 1000 કરોડ ઉપરાંતના જથ્થાનો ઘટસ્ફોટ થયો છે. આ ઓપરેશનમાં એટીએસના આધારે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ સાથે ભરૂચ એસ.ઓ.જી.પી.આઈ. વી.બી. કોઠીયા અને એલસીબી પી.આઈ. કરણસિંહ મંડોરા સહિતના જોડાયા હતા.

ડાયઝ ના નામે એમડી ડ્રગ્સના આ કારોબારમાં સોમવાર સાંજથી દરોડાની કામગીરી ચાલી રહી છે.ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં ડ્રગ્સની આ અઓરહી5 મોટી રેડ અને સૌથી વિપુલ જથ્થો પકડાયો છે. લગભગ 513 કિલો એમ.ડી. ડ્રગ્સ જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત રૂપિયા 1026 કરોડ જેટલી થાય છે.ઓપરેશનમાં જોડાયેલી ટીમોએ 1000 કરોડ ઉપરાંતના ડ્રગ્સના જથ્થા સાથે મહિલા સહિત 7 આરોપીઓની પણ ધરપકડ કરી હોવાની વિગતો બહાર આવી છે. જો કે ઓપરેશન પૂર્ણ થયા બાદ જ સત્તાવાર માહિતી સાંપડશે.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.