Connect Gujarat
ભરૂચ

ભરૂચ:અકસ્માત જોન બનેલા નર્મદા મૈયા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતાં અકસમતનો ભય

બ્રિજ પર મોટા વાહનો પર પ્રતિબંધ છતાં બેફામ વાહન ચાલકો પ્રવેશી જતાં હોવાના અનેક વાર એહવાલો સામે આવ્યા હતા.

X

ભરૂચથી અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતા અકસ્માતની શકયતા સેવાય રહી છે ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ વિવાદોમાંથી બહાર આવી શક્યો નથી. આ બ્રિજ પર છાસવારે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે. મોટા વાહનો પર પ્રતિબંધ છતાં બેફામ વાહન ચાલકો પ્રવેશી જતાં હોવાના અનેક વાર એહવાલો સામે આવ્યા હતા.

એસ.ટી બસને પ્રવેશની મંજૂરી 40 ની ગુરત્તમ ગતિથી મળી છે, છતાં 60થી વધુની સ્પીડમાં બસ દોડતી હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. ત્યારે હવે વધુ એક ક્ષતિ સામે આવી છે. ફોરલેન રોડની વચ્ચે બેસાડવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો પણ હવે ડોકિયા કાઢતી નજરે પડી રહી છે. આજરોજ બ્રિજની વચ્ચો વચ સ્ટ્રીટ પોલ નીચે નમી પડતાં અકસ્માતનો ભય ટોળાય રહ્યો છે.

ગત રાત્રે અથવા વહેલી સવારે કોઈક ભારદારી વાહન અકસ્માત સર્જી આ પોલને નુકશાન પોહચડ્યું હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. જોકે ગત રાત્રે કે વહેલી સવાર સુધીમાં આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી અકસ્માત અંગે કોઇ માહિતી પ્રાપ્ત થઇ ન હતી. અકસ્માતનું કેન્દ્ર બિંદુ બનેલા નર્મદા મૈયા બ્રિજના વિવાદોનો અંત આવે તેની શહેરીજનો રાહ જોય રહ્યા છે. એક રાહદારીએ આ નમી પડેલ પોલનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોવાનું તેમજ અકસ્માત સર્જવાનો ભય વ્યક્ત કર્યો હતો. તંત્ર વહેલી તકે સમારકામ કરી સ્ટ્રીટ લાઇટને પુનઃ સ્થાપિત કરે તો નવી ઘટનાને અટકાવી શકાય તેમ છે.

Next Story