ભરૂચ: નર્મદા નદીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે શરૂ કરી તપાસ
દીના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે
BY Connect Gujarat5 May 2023 11:14 AM GMT
X
Connect Gujarat5 May 2023 11:14 AM GMT
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની હદમાં આવેલ કસક રોકડીયા હનુમાનજીના નદી કિનારેથી પાણીમાં તરતી હાલતમાં એક વૃધ્ધનો મૃતદેહ જોવાતા સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પોહચી જોતા એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ નજરે પડ્યો હતો. આ અંગેની જાણ કરાતા બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નદીના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે
Next Story