ભરૂચ:સ્વરછ ભારત અભિયાન અંતર્ગત નેત્રંગમાં DCB બેન્ક તફરથી સરકારી કચેરીઓમાં ડસ્ટબીનનું કરવામાં આવ્યું વિતરણ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વરછ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે જેમાં વિવિધ સંસ્થા યોગદાન આપી રહી છે

New Update

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વરછ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે જેમાં વિવિધ સંસ્થા યોગદાન આપી રહી છે ત્યારે નેત્રંગમાં આવેલ DCB બેન્ક દ્વારા સેવાકાર્ય કરવામાં આવ્યું હતુ. DCB બેન્ક દ્વારા નેત્રંગ મામલતદાર કચેરી,તાલુકા પંચાયત અને પોલીસ સ્ટેશન ખાતે ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેન્કના બ્રાન્ચ મેનેજર ધર્મેન્દ્ર પટેલ અને બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો