ભરૂચ: જંબુસરના કૃષ્ણ મંદિર ખાતે ધારાસભ્ય સંજય સોલંકીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
જંબુસરના સ્વ. મગનભાઈ સોલંકીના ધર્મપત્ની સ્વ.મધુબાની ૩૫મી પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ, મફત નેત્ર યજ્ઞ, રક્તદાન કેમ્પ, વસ્ત્ર દિવાલ, શ્રી કૃષ્ણ પુસ્તક મંદિર, શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ તથા શ્રી રામ વૃક્ષ મંદીરમાં વૃક્ષારોપણ, શ્રી કૃષ્ણ બાળ ઉદ્યાન, શ્રી કૃષ્ણ યોગેશ્વર વાટીકા, શ્રી કૃષ્ણ સાગર મફત ટ્યુશન ક્લાસિસ વિદ્યા સંકુલના લોકાર્પણનો કાર્યક્રમ તથા સરદાર નગર ખાતે નવનિર્માણ પામતા હનુમાનજી મંદિરમાં પૂજાવિધી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, જ્ઞાનવીર દાસ સ્વામી અભયટીલક સ્વામી તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગાયત્રી નગર સોસાયટી, સરદાર નગર સોસાયટી તથા શ્રી રંગ અવધૂત સોસાયટી પરીવારના સદસ્યોએ ભેગા મળીને શ્રી કૃષ્ણ મંદિરના નવ નિર્માણ સાથે જે કર્મયોગનો ભેખ ધારણ કરેલ છે તે સાકાર થતો દેખાઈ રહ્યો છે તેવી અનુભૂતિ દર્શાવી હતી. તો સાથે જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ રક્તદાન કરીને કેમ્પ ને સફળ બનાવ્યો હતો.