ભરૂચ : રામનવમી નિમિત્તે VHP અને બજરંગ દળ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાય...

ભરૂચ : રામનવમી નિમિત્તે VHP અને બજરંગ દળ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાય...
New Update

શ્રીરામ મહોત્સવની ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણી

VHP અને બજરંગ દળ દ્વારા યોજાય શોભાયાત્રા

શહેરના રાજમાર્ગો શ્રી રામના નામથી ગુંજી ઉઠ્યા

ભરૂચ જીલ્લામાં શ્રીરામ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં ઠેર ઠેર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ સહિત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રામનવમી નિમિત્તે ભરૂચના સોનેરી મહેલથી ભવ્ય શોભાયાત્રા યોજાય હતી, ત્યારે ભગવાન શ્રીરામના નારાઓથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આમંત્રિત મહેમાનોના હસ્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તો નગરજનો પણ જય શ્રી રામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા.

ભરૂચ જિલ્લામાં શ્રીરામ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાભરમાં નાની મોટી કુલ 26 જેટલી શોભાયાત્રાઓ વિવિધ વિસ્તારોમાંથી કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાઓ શાંતિપ્રિય માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસવડા દ્વારા 5 ડીવાયએસપી, 25 પી.આઈ-પીએસઆઇ સહિત 800થી વધુ પોલીસ કર્મચારીઓને તેનાત કરવામાં આવ્યા હતા

#Ram Navami #organized #Lord Ram #occasion #grand procession #VHP #Bharuch #Bajrang Dal #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article